दुःखासक्त्यान्यथासक्त्या सुखे निर्वृतिभूमिता ।
जडकायांगनिचये मद्दार्ढ्योचितचिन्तया ॥३७॥
duḥkhāsaktyānyathāsaktyā sukhe nirvṛtibhūmitā |
jaḍakāyāṃganicaye maddārḍhyocitacintayā
દુઃખમાં અનાસક્તિ વડે, અને આસક્તિ અન્યથા (આત્મા તરફ) વાળવા વડે, સુખમાં નિર્વૃતિ-ભૂમિતા (આનંદ-તલની પ્રાપ્તિ); અને જડ કાય(શરીર)ના અંગ-નિચય(સમૂહ)માં, 'હું દૃઢ (સત્-તત્ત્વ) છું' એ દાર્ઢ્યને ઉચિત ચિંતન વડે (— ચૈતન્ય તેને પણ વ્યાપે).