अविद्यादेर्निमित्तत्वे वेदान्तैः साम्यमागतम् ।
पक्षे द्वितीये ताद्रूप्यं जडत्वादिह तस्य कः ॥२३॥
avidyādernimittatve vedāntaiḥ sāmyamāgatam |
pakṣe dvitīye tādrūpyaṃ jaḍatvādiha tasya kaḥ
જો અવિદ્યા આદિ નિમિત્ત (કારણ) હોય, તો (ખંડિત) વેદાંતીઓ સાથે સામ્ય આવી પડ્યું; અને બીજા પક્ષે (બ્રહ્મનું અવિદ્યા સાથે) તાદ્રૂપ્ય (એકતા) (માનો), તો અવિદ્યા જડ હોવાથી, અહીં તેનું (વિદ્યા સાથેનું જોડાણ) કોણ (કરે)?