भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः ।
येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् ॥
२-३६ ॥
bhayādraṇāduparataṃ maṃsyante tvāṃ mahārathāḥ |
yeṣāṃ ca tvaṃ bahumato bhūtvā yāsyasi lāghavam ||
2-36 ||
મહારથીઓ માનશે કે તું ભયથી યુદ્ધમાંથી પાછો હટ્યો; અને જેમની દૃષ્ટિએ તું બહુ માનનીય હતો તેમની નજરમાં તું હલકો બની જઈશ.